
અમદાવાદ
પારૂલ યુનિવર્સિટી, વડોદરામાં ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીઓ માટે “પ્રમાણ 3.0” નેશનલ ફોરેન્સિક ફેસ્ટ (ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટમાં ભાગ લેવા માટે દેશભરના ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીઓ વડોદરા પહોંચ્યા હતા. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર સાથે સંલગ્ન નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, ફોરેન્સિક સાયન્સ એન્ડ સાઇબર સિક્યુરિટી, જેટલપુર, અમદાવાદના વિદ્યાર્થીઓના દળે આ નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં લય દ્વિવેદી, ઈશિકા ઝા, વંશિકા જયસિંઘાની, પ્રયૂષી પટેલ અને પ્રિયંકા જાનીનો સમાવેશ થાય છે l
ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન પર કેન્દ્રિત આ સ્પર્ધા વિદ્યાર્થીઓને વિવિધ ગુનાહિત કેસો અંગે અસરકારક રીતે અભ્યાસ કરવા, તપાસ કરવા, સંશોધન કરવા, પુરાવાને પ્રમાણિત કરવા તેમજ સમഗ്ര મૂલ્યાંકનના આધારે સત્ય બહાર લાવવા માટે તેમની માનસિક અને તાર્કિક ક્ષમતાના આધારે તેમના કાર્યનું મૂલ્યાંકન કરે છે l મૂળરૂપે કોઈપણ ગુનાહિત કેસની તપાસ માટે ગુનાના કારણો, ગુનાહિત પ્રક્રિયાઓનું સંશોધન, ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો દ્વારા થતી ભૂલો અને તેને શોધવી, ગુનો કરનારની માનસિક સ્થિતિ, ગુનાના પરિણામો અને તેના પ્રભાવનું સમഗ്ര મૂલ્યાંકન કરીને નિષ્કર્ષ પર પહોંચવામાં આવે છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓના આ ગુણનું માત્ર મૂલ્યાંકન જ નહીં, પરંતુ તેમના કાર્યને વધુ ઉત્તમ બનાવવા માટે પ્રેરણા પણ આપવામાં આવી હતી l
ફોરેન્સિક સાયન્સ એટલે અણઉકેલ પ્રશ્નોને ઉકેલવા માટે અભ્યાસ, તપાસ, સંશોધન, તાર્કિક અને વૈજ્ઞાનિક આધાર પર સમસ્યા ઉકેલવા માટે સતત પ્રયાસો તથા સચોટ વિશ્લેષણ દ્વારા સત્યને બહાર લાવવાની પ્રક્રિયા l વર્તમાન સમયમાં કંઈક નવું અને વધુ સારું કાર્ય કરવાની વિચારધારા સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ફોરેન્સિક સાયન્સ અને સાઇબર સિક્યુરિટી વિષય પ્રત્યેની રસ વધતી જઈ રહી છે l આ વિષય વિદ્યાર્થીઓને કોઈપણ કાર્ય પ્રત્યે સમર્પિત ભાવથી જોડાઈને ઉત્તમ પરિણામો મેળવવાની પ્રેરણા આપે છે એટલું જ નહીં, પરંતુ ગુનાહિત વ્યવસ્થાઓ અને સમસ્યાના ઉકેલનો માર્ગ પ્રસસ્ત કરવામાં પણ મદદ કરે છે અને આ કાર્ય તેમના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ અને સહકારની ભાવનાને વધુ સશક્ત બનાવે છે l

